નવરાત્રી પ્રથમ દિવસ | પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી માતાની કથા | Navratri | Shailputri mata | Navratri Day 1 | TARGETGPSC
નવરાત્રી પ્રથમ દિવસ | પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી માતાની કથા | Navratri | Shailputri mata | Navratri Day 1 | TARGETGPSC
*🔱 શૈલ પુત્રી માઁ 🔱*
💁🏻♂નવરાત્રિ એટલે શક્તિનું પૂજન અર્ચન કરવાનું મહાપર્વ. નવરાત્રિના નવે નવ દિવસ નાનાં જુદાં જુદાં સ્વરૂપોની આરાધના કરવાની હોય છે. ઘણા સાધકો માનું એક જ સ્વરૂપ નવે નવ દિવસ પૂજી પોતાની ઇચ્છિત ઈચ્છા પૂર્ણ કરતા હોય છે. મા નવદુર્ગાનાં નવ સ્વરૂપની નવરાત્રિએ જુદા જુદા સ્વરૂપે પૂજા કરવાનું મહત્ત્વ આપણા સમાજમાં પરાપૂર્વથી ચાલ્યું આવે છે.
💁🏻♂ નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે
તેમનું વાહન વૃષભ અર્થાત્ બળદ છે. તેથી ઘણા પંડિતો તેમને મા વૃષારુઢાના નામે પણ ઓળખે છે.
જેમના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે.
💁🏻♂ પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૃપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞનું આયોજન કર્યું, તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમ જ એને ફળભાગ પણ આપ્યા પરંતુ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું.
💁♂સતીએ જયારે સાંભળ્યું કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું આયોજન કરી રહ્યા છે ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું. તેમણે પોતાની આ ઈચ્છા શંકરજીને જણાવી. સઘળી વાર્તાનો વિચાર કર્યા બાદ શિવજીએ તેમને કહ્યું, ' પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણા પર નારાજ છે. પોતાના યજ્ઞમાં તેમણે સમર્પિત કર્યા છે, પણ આપણને જાણી જોઈને બોલાવ્યા નથી. કોઈ સૂચના પણ મોકલી નથી. આવી પરિસ્થિતિમાં તમારું પણ ત્યાં જવું કોઈ પણ રીતે યોગ્ય નહી ગણાય.'શિવજીના આ ઉપદેશથી સતીને કોઈ પ્રબોધ ન થયો. પિતાનો યજ્ઞ જોવા, ત્યાં જઈને માતા અને બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ રીતે ઓછી થઈ નહીં. તેમનો પ્રબળ આગ્રહ જોઈ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી દીધી.
💁♂સતીજી પિયર ગયાં ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દીક ભગવાન શંકર માટે પણ બધાંને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. આ બધું જોઈને સતીનું હૃદય ક્ષોભ, ગ્લાનિ અને ક્રોધથી તપી ઉઠ્યું.તેમણે વિચાર્યું ભગવાન શંકરજીની વાત ન માનીને મેં અહીં આવીને બહુ મોટી ભૂલ કરી છે.
તેઓ પોતાના પતિ ભગવાન શંકરના આ અપમાનને સહી ન શક્યાં.પોતાના શરીરને યોગાગ્નિમાં ભષ્મ કરી લીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞનો ધ્વંસ કર્યો.
💁♂સતીએ યોગાગ્ની દ્વારા પોતાના શરીરને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રીરૂપે નવો જન્મ લીધો. તેઓ હવે "શૈલપુત્રી" નામે સુખ્યાત થયાં. પાર્વતી, હૈમવતી પણ તેઓનાં જ નામ છે. ઉપનિષદની એક કથા અનુસાર તેમણે હૈમવતી સ્વરૂપે દેવતાઓનો ગર્વ ખંડિત કર્યો હતો.
💁♂બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમનાં લગ્ન થયાં.આસો સુદ-૧ના રોજ આ સ્વરૃપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મુલાધારચક્રમાં સ્થિત કરે છે. જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે.
💁♂શ્લોક ➖
🕉वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।
वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥
🙏हे माँ शैलपुत्री, मैं आपको नमस्कार करता हूँ। आप मनचाहा वरदान देती हैं और मस्तक पर अर्धचंद्र से सुशोभित हैं। आप बैल पर आरूढ़ होकर त्रिशूल धारण किये हुए, भव्य दिख रही हैं।
🔖Source - नवदुर्गास्तोत्रम्
⚜ભારતમાં માતા શૈલપુત્રીનું સૌથી પ્રાચીન મંદિર બનારસમાં મરહીય ઘાટ પર આવેલું છે.

Comments
Post a Comment