Jaliyavala Bagh Hatyakand | Jallianwala Bagh massacre | જલિયાવાલા બાગ હત્યાકાંડ


હેલ્લો વિદ્યાર્થી મિત્રો જલિયાવાલા બાગ હત્યાકાંડનો લેખ હર્ષલ જૈન સર(Unacademy plus educator તથા TARGET GPSC Youtube Channel Owner) તથા (ઇતિહાસ,ગણિત, તાર્કિક કસોટી અને બંધારણ નાં ફેકલ્ટી) દ્વારા લખાયો છે. 


હર્ષલ જૈન સર સાથે Unacademy app માં બપોર 3 અને 4 વાગ્યે ફ્રી ક્લાસ માં ભણી શકો છો અને બેસ્ટ તૈયારી કરી શકો છો.
Follow on Unacademy :  Harshal Jain Sir

Join Telegram : http://t.me/HarshalUnacademy

*એક જ ફીસ એક જ પ્લેટફોર્મ અને એમાં ગુજરાત ના ટોપ ફેકલ્ટી સાથે ભણો માત્ર 9 ₹ પ્રતિ દિવસના ખર્ચ થી*

ફીસ લિંક:
https://unacademy.com/goal/kkk/RJVOD/subscribe?referral_code=targetgpsc&duration=24

_________________________________________________
  ∆જલિયાવાલા બાગ માં અંદર જવાનો સાંકળો માર્ગ


Jaliyavala Bag Hatyakand | Jallianwala Bagh massacre | જલિયાવાલા બાગ હત્યાકાંડ

13 એપ્રિલ 2021 102 મી વર્ષ ગાંઠ

તારીખ : 13 એપ્રિલ 1919
સ્થળ : જલિયાવાલા બાગ , અમૃતસર, પંજાબ

1) શા માટે જલિયાવાલા બાગ માં ભેગા થયા હતા?

∆ પંજાબ નાં લોકપ્રિય નેતાઓ ડૉ સત્યપાલ મલિક અને ડૉ શૈફુદીન કિચલું ની રોલેટ એક્ટના વિરોધમાં ધરપકડ કરવામાં આવી હતી.
∆તેના વિરોધમાં વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં એક સભા ભરાઈ.



2) ગોળીબાર અચાનક થી કોણે કર્યું? તેને ક્યા ભારતીય દ્વારા મદદ કરવા માં આવી હતી?
"જનરલ રેજીનાલ્ડ ડાયર" અને "લાલા હંસરાજ" દ્વારા મદદ કરાઈ હતી.

3) અપરાધી કોણ હતા?


9 મી ગોરખા રાઇફલ્સના રાઇફલમેન, 54 મી શીખો અને 59 મી સિંધ રાઇફલ્સ, બ્રિટીશ ઇન્ડિયા આર્મી

4) કેટલા લોકો મરી ગયા હતા ?

સરકારી આંકડા : 379 જેટલા માર્યા ગયા હતા.
પરંતુ વાસ્તવિક 1000+ આંકડો હતો.

5) આના વિરોધ માં ભારત માં શું પ્રતિક્રિયા થઈ?
 
∆ વાઈસ રોય ની કારોબારી સમિતિ માંથી "શંકરન નાયર" એ રાજીનામું આપી દીધું હતું.
∆ ગાંધીજી "કેસરે હિંદ" ની ઉપાધિ પાછી આપી.
∆ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા "નાઈટ હૂડ" ખિતાબ પાછો આપવા માં આવ્યો.
∆ જમનાલાલ બજાજ(ગાંધીજીના 5માં પુત્ર) "રાય બહાદુર" ની ઉપાધિ પાછી આપી.

6) કોના દ્વારા શું કહેવાયું?

∆દીનબંધુ સી એડ એન્ડ્રુઝ દ્વારા આ હત્યાકાંડ ને જાણી જોઈને કરવા માં આવેલ હત્યાકાંડ કહ્યું.
ભારતીય રાષ્ટ્રવાદી સ્વામી શ્રદ્ધાનંદ 1500 લોકોનાં મોત અંગે ગાંધીજીને પત્ર લખ્યો હતો.


7) તપાસ માટે કઈ કમિટી રચાઈ અને તેણે શું તારણ આપ્યું?

1) હન્ટર કમિટી (1 ઓક્ટોબર 1919) 
અધ્યક્ષ : લોર્ડ હન્ટર
∆5 અંગ્રેજ સભ્યો : લોર્ડ હન્ટર ,જનરલ જ્યોર્જ બેરો,સર ટોમસ સ્મિથ, રાઈસ,જસ્ટિન રૈકિન
∆3 ભારતીય સભ્યો : સર ચીમનલાલ સેતલવાડ, સાહેબઝાદા સુલતાન અહમદ અને જગત નારાયણ

® હન્ટર કમિટી રિપોર્ટ (તારણ)(માર્ચ 1920) 

∆જેમાં ફક્ત જનરલ ડાયરને બચાવવાના પ્રયાસ થયા પરંતુ નોકરી થી હટાવી દેવામાં આવ્યા.

∆ઇંગ્લેન્ડ માં પ્રતિક્રિયા 

બ્રિટિશ સમાચાર પત્રે જનરલ ડાયરને "બ્રિટિશ સામ્રાજ્યનો રક્ષક", લોર્ડ સભાએ "બ્રિટિશ સામ્રાજ્યનો વાઘ" અને સરકારે તેની સેવા માટે તેને "માનની તલવાર" નો ખિતાબ આપ્યો.

2) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મદન મોહન માલવીયા ની નેતૃત્વમાં એક કમીશનની રચના કરવામાં આવી જેમાં અન્ય સભ્યો મોતીલાલ નહેરુ અને ગાંધીજી હતા.

∆કોંગ્રેસ દ્વારા રચાયેલ આ કમિટીના રિપોર્ટમાં અધિકારીઓની સતત ટીકા કરી તથા જોશી ની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી અને મૃતકના આશ્રિતને આર્થિક મદદ કરવામાં આવે એવી એમણે માંગણી કરી પરંતુ તેની સામે પ્રતિક્રિયા ન મળતા ગાંધીજીની અસહકાર આંદોલન શરૂ કરવાનું વિચાર્યું.

8) સ્મારક






ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ઠરાવ પસાર થયા બાદ સ્થળ પર સ્મારક બનાવવા માટે ટ્રસ્ટની સ્થાપના 1920 માં કરવામાં આવી હતી. 1923 માં, ટ્રસ્ટે પ્રોજેક્ટ માટે જમીન ખરીદી. 
∆ અમેરિકન આર્કિટેક્ટ બેન્જામિન પોલ્ક દ્વારા બનાવવામાં આવેલ એક સ્મારક, સ્થળ પર બનાવવામાં આવ્યું હતું અને તેનું ઉદઘાટન ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 13 એપ્રિલ 1961 નાં રોજ, જવાહરલાલ નહેરુ અને અન્ય નેતાઓની હાજરીમાં કરાયું હતું.

9) કોને કોને માફી માગી હતી?

1) મહારાણી એલિઝાબેથ દ્વિતિય

∆14 ઓક્ટોબર 1997 ના રોજ, મહારાણી એલિઝાબેથ દ્વિતીયે જલિયાંવાલા બાગની મુલાકાત લીધી હતી અને 30 મિનિટની મૌન સાથે તેમનું માન આપ્યું હતું . 
∆મુલાકાત દરમિયાન, તેણે ગુલાબી જરદાળુ અથવા કેસર તરીકે વર્ણવેલ રંગનો ડ્રેસ પહેર્યો હતો, જે શીખો માટે ધાર્મિક મહત્વનો હતો . 
∆તેમણે સ્મારકની મુલાકાત લેતી વખતે તેના પગરખાં કાઢ્યા અને સ્મારક પર પુષ્પાંજલી આપી. 
∆અમૃતસર માં તેમના આગમનમાં લોકોએ કાળા વાવટા ફરકાવ્યા અને "મહારાણી પાછા જાઓ મહારાણી પાછા જાઓ" નાં નારા લગાવ્યા

2) વિન્સ્ટન ચર્ચિલ દ્વારા પણ હાઉસ ઓફ કોમન્સમાં જનરલ ડાયરને સજા થાય તેની માગણી કરી હતી.

10) કાર્યક્રમ

∆15 મી એપ્રિલ 2019 ના રોજ, બ્રિટિશ સંસદમાં જસવીર સિંઘના અધ્યક્ષ સ્થાને એક રાષ્ટ્રીય સ્મારક કાર્યક્રમ યોજાયો હતો અને સિટી શીખ અને ફૈથ ફોરમ  ફોર લંડન દ્વારા 'જલિયાંવાલા બાગ 100 વર્ષ ચાલુ' શીર્ષકનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં બચી ગયેલા લોકોની જુબાનીઓ પુસ્તકમાંથી વાંચવામાં આવી હતી : 'અમૃતસર ખાતેના પ્રત્યક્ષ સાક્ષી ' (Book)
∆ત્યાં પરંપરાગત સંગીતવાદ્યો રજૂ થયા હતા, અને એક સદી પહેલા હત્યા કરનારાઓને યાદ કરવા માટે એક મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું

11) એવોર્ડ

∆એપ્રિલ 2019 માં એશિયન એવોર્ડ દ્વારા જલિયાવાલા બાગ હત્યાકાંડ માં શહીદ થયેલા શહીદો ને પ્રતિષ્ઠિત સ્થાપકો એવોર્ડ થી નવાજ્યા.
∆તે ભગતસિંહ ના ભત્રીજા  ડૉ જગમોહન સિંહ દ્વારા સ્વીકારાયું.

12) છેલ્લે ઉધમ સિંહ દ્વારા જનરલ ડાયરની હત્યા કરી દેવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

Daily Current Affairs with static GK | 23rd November 2023 Current Affairs | 23 નવેમ્બર કરંટ અફેર | TARGETGPSC

TAT Latest News | TAT bharti news | Tat bharti | Latest government bharti news #tat #yt